હીરામણિ હાયર સેકન્ડરી (અંગ્રેજી માધ્યમ) દ્વારા ૫ મી સપ્ટેમ્બર 'શિક્ષક દિન' નિમિત્તે શાળામાં ઓફલાઈન અને ઓનલાઇન વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો.
કોરોના કાળમાં જયારે બધાજ કામ ઓનલાઈન ચાલે છે. શિક્ષણ પણ ઓનલાઈન થઈ ગયું છે. એવા સમયમાં ઉત્સવો ની ઉજવણી પણ ઓનલાઈન થાય છે. શિક્ષકોની જેમ હીરામણી પ્રાઈમરી વિભાગ અંગ્રેજી માધ્યમનાં બાળકોએ પણ ઓનલાઈન ભણાવીને તેમના શિક્ષકો ને તેમના અથાક પ્રયાસો અને સતત શિક્ષણ ચાલુ રાખવાની ભાવનાને બિરદાવી તથા તેમનું સન્માન કર્યું. શિક્ષકોએ પણ બાળકોનાં આ પ્રયાસને વધાવ્યો હતો. આ સાથે શાળામાં આજરોજ ઓફલાઈન શિક્ષક દિન પણ ઉજવવામાં આવ્યો હતો અને તેમાં અત્યારે ઓફલાઈનમાં આવતા બાળકોને પણ શિક્ષણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના આ ઉત્સાહ તેમજ શિક્ષકો પ્રત્યેની સન્માનની ભાવના બદલ જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન, શાળાના સી.ઈ.ઓ. ભગવત અમીન, શૈક્ષણિક સલાહકાર એ.સી. ગોપાણી, આચાર્યા પિનાક્ષી વડોદરિયા, કો-ઓર્ડિનેટર કેતન ભટ્ટ સહિત સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપી આનંદની લાગણી અનુભવી હતી.
હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ દ્વારા ૫ મી સપ્ટેમ્બર 'શિક્ષક દિન' નિમિત્તે શાળામાં
ઓફલાઈન અને ઓનલાઇન વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો હતો. ધોરણ ૮ થી ૧૨ ના
વિદ્યાર્થીઓએ વિવિધ વિષયના શિક્ષક બની ઉત્સાહભેર ઓફલાઇન અને ઓનલાઇન અધ્યાપન કાર્ય કર્યું હતું.
શિક્ષકદિનમાં ભાગલેનાર વિદ્યાર્થીઓને જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરી અમીન,
મેનેજીંગ ટ્રસ્ટી વરૂણભાઇ અમીન, સંસ્થાના સી.ઈ.ઓ ભગવતભાઈ અમીન, શૈક્ષણિક સલાહકાર
અર્જુનભાઈ ગોપાણી, આચાર્ય ડૉ. ગુંજન ભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ ઘેરબેઠા મટકી, વાંસળી, હિંડોળો વગેરેના કલાત્મક નમૂના બનાવ્યા હતા
હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ) દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે સ્વચ્છતા પખવાડિયું આગામી દિવસોમાં ઉજવાશે
Inbox
hiramani school
[Attachments] 2:34 PM (3 hours ago)
to Hiramani, Chetan, bcc: meપ્રેસનોટ
હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે સ્વચ્છતા પખવાડિયું
આગામી દિવસોમાં ઉજવવામાં આવનાર છે. જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ પોતાના ઘર, પોતાની સોસાયટી,
પોતાના શાળા કેમ્પસની સ્વચ્છતા રાખશે તે હેતુથી આજે में न गंदगी करूंगा, ना किसी और को करने दूंगा ના વિચાર
સાથે સ્વચ્છતા અભિયાનની શપથ લીધી હતી. સ્વચ્છતાની શપથ લેનાર વિદ્યાર્થીઓને જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ
શ્રી નરહરી અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણભાઇ અમીન, સંસ્થાના સી.ઈ.ઓ ભગવતભાઈ અમીન, શૈક્ષણિક સલાહકાર
અર્જુનભાઈ ગોપાણી, આચાર્યશ્રી ડૉ. ગુંજન ભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા અભિયાનની શુભેચ્છાઓ પાઠવી હતી
હીરામણિ માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)ના વિદ્યાર્થીઓની ભારત સરકાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ગંદકી મુક્ત ભારત કેમ્પેઈન અંતર્ગત સ્વચ્છતા પખવાડીયાની ઓનલાઈન ગંદકી મુક્ત મેરા ગાંવ ના વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ
Sadhna Pancholi © All rights reserved.